લોકસભા ચૂંટણી 2024: બદ્રીનાથના કપાટ ખુલવા-બંધ થવા વિશે છે આ લોકવાયકા
- 12 Apr, 2024
બદ્રીનાથ મંદિરના કપાટ ખુલવા અને બંધ થવાની અસર અહીંથી ચૂંટણી લડતા ઉમેદવારની હાર-જીત પર સામન્ય રીતે પડતી હોય છે, તેવી અહીં લોકવાયકા છે. જોકે વર્ષ 2019ની ચૂંટણીની જીત તેમાંથી બાકાત છે. વર્ષ 2019ની ચૂંટણીમાં કપાટ બંધ હોવા છતાં માલા રાજ લક્ષ્મી શાહ ચૂંટણી જીત્યા હતા. અગામી લોકસભાની ચૂંટણી હવે 19 એપ્રિલના રોજ થવા જઈ રહી છે, ત્યારે જોવાની વાત એ છે કે શું આ લોકવાયકા આ વખતે સાચી ઠરશે?
વર્ષ 1971 અને 2007માં જ્યારે મંદિરના કપાટ બંધ હતા, ત્યારે અહીંથી ચૂંટણી લડતા ઉમેદવારને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. 1971માં અહીં માર્ચમાં ચૂંટણી થઈ હતી ત્યારે માનાબેન્દ્રા શાહની હાર થઈ હતી. વર્ષ 2007માં 21 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી થઈ હતી, ત્યારે મનુજેન્દ્ર શાહની હાર થઈ હતી. જોકે વર્ષ 2019નું વર્ષ આ સિલસાલામાંથી બાકાત રહ્યું હતું.
વર્ષ 2019માં મનુજેન્દ્ર શાહની પત્ની માલા રાજ્ય લક્ષ્મી શાહની જીત મંદિરના કપાટ બંધ થયા હોવા છતાં થઈ હતી. આ વખતે પણ રાજ્ય લક્ષ્મીએ બીજેપીમાંથી ઉમેદવારી નોંધાવી છે. જોકે આ વખતે તેહરી ગરવાલ, ઉત્તરાકાશી અને દેહરાદુનમાં ચૂંટણી 19 એપ્રિલના રોજ થવાની છે. જ્યારે બદ્રીનાથના કપાટ બંધ હશે. ચૂંટણીના લગભગ એક મહિના પછી કપાટ 12 મેના રોજ ખુલશે. હવે જોવાનું એ રહેશે કે તહેરીના ત્રણ ટર્મના સાંસદ બીજી વખત પણ નસીબદાર રહેશે કે કેમ?
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ